માતાપિતાના દબાણના લીધે અમારે લગ્ન કરવા પડ્યા: કિરણ રાવ
છૂટાછેડા પછી આમીર વિશે ઘણી અનકહી વાતો ઉજાગર કરી
કિરણ રાવ આમિર ખાનની બીજી પત્ની હતી અને બંનેએ થોડા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ બંને ઘણી વાર સાથે જોવા મળે છે. ફેમિલી ફંક્શન હોય કે ઈવેન્ટ હોય કે કોઈ પણ કામ, બંને હંમેશા સાથે જોવા મળે છે. હવે કિરણે આ બંને વિશે એક રહસ્ય જાહેર કર્યું છે. કિરણે જણાવ્યું કે બંને લગ્નના એક વર્ષ પહેલા સાથે રહેવા લાગ્યા હતા અને બંનેએ પોતાના માતા-પિતાના દબાણમાં લગ્ન કર્યા હતા.છૂટાછેડા પછી કિરણ રાવે પોતાના અને આમિર વિશે કેટલાક એવા રહસ્યો જાહેર કર્યા છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી. જોકે હવે તેમના લગ્નને લઈ મોટી વાત સામે આવી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાન અને કિરણ રાવે દબાણને કારણે લગ્ન કર્યા હતા. તેઓ વિલ ઇન રિલેશનમાં રહેતા હતા.
હકીકતમાં, કિરણને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું કે શું લગ્ન પર પુનર્વિચાર કરવાની જરૂર છે. આના પર તેણે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું કે આમિર અને હું લગ્ન પહેલા એક વર્ષ સુધી સાથે રહેતા હતા અને સાચું કહું તો અમારા માતા-પિતાના કારણે અમે લગ્ન કર્યા છે. તે સમયે પણ અમે જાણતા હતા કે લગ્ન એ એક સારી સંસ્થા છે જો તમે તે સંસ્થામાં વ્યક્તિગત તેમજ દંપતી તરીકે કામ કરી શકો.
કિરણે આગળ કહ્યું, 'મને લાગે છે કે તમને લગ્નથી ઘણી સારી વસ્તુઓ મળશે. લગ્ન તમને એક નવો પરિવાર આપે છે. આ તમને સંબંધો આપે છે અને સુરક્ષા અને સ્થિરતા પણ લાવે છે.સંબંધમાં સમાન જવાબદારીઓના અભાવ પર કિરણે કહ્યું, 'સ્ત્રી પર ઘણી જવાબદારીઓ હોય છે, તેણે ઘર ચલાવવાનું હોય છે અને પરિવારને સાથે રાખવાનો હોય છે. સ્ત્રીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ હંમેશા તેમના સાસરિયાઓ સાથે સંપર્કમાં રહે અને તેમના પતિના પરિવાર સાથે મિત્રતા જાળવી રાખે. તેમની પાસેથી ઘણી અપેક્ષા છે અને આ માટે મને લાગે છે કે ચર્ચા થવી જોઈએ.
કિરણ અને આમિરે 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી. લગ્નના 16 વર્ષ બાદ બંનેએ આ નિર્ણય લીધો હતો. જ્યારે કિરણને પૂછવામાં આવ્યું કે શું તેને છૂટાછેડા અંગે કોઈ ડર છે તો તેણે કહ્યું કે મેં આ નિર્ણય લેવા માટે મારો સ્વીટ સમય લીધો. મને તેની ચિંતા નહોતી. વાસ્તવમાં, આમિર અને હું ખૂબ જ મજબૂત સંબંધોમાં છીએ. અમે એકબીજા સાથે ખૂબ જોડાયેલા છીએ. કિરણ અને આમિરનો પુત્ર આઝાદ છે. છૂટાછેડા પછી પણ, બંને તેમના પુત્રના ઉછેર માટે હંમેશા સાથે આગળ રહે છે. ત્રણેય આઝાદ માટે પણ સાથે સમય વિતાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech