રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે અમે લોકો બજરંગ બલીના ભક્ત છીએ. અમે લોકોએ કોઈ પણ બેરીકેટ તોડ્યા નથી. તેમજ અમારા લોકોએ કોઈ પણ સૂત્રોચ્ચાર કર્યા નથી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધરણાં સ્થળ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રદર્શનમાં સોમવારે બેરિકેડ તોડવાની ઘટના પ્રકાશમાં આવતા હોબાળો થયો
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. તેમને સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચ્યા છે. આ પ્રદર્શનમાં સોમવારે બેરિકેડ તોડવાની ઘટના પ્રકાશમાં આવતાં હોબાળો મચી ગયો હતો. આટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબથી આવેલા ખેડૂતો દ્વારા આ નારા લગાવવામાં આવ્યા હતા.
અમે બજરંગ બલીના ભક્ત છીએ- વિનેશ ફોગાટ
આ અંગે કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું કે અમે બજરંગ બલીના ભક્ત છીએ. અમારા લોકો દ્વારા બેરીકેટ તોડવામાં આવ્યા ન હતા. અમારા લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા નથી. કેટલાક અસામાજિક તત્વોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ વિનેશ ફોગાટે વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂત સંઘ અમારી સાથે છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસનું કહેવું છે કે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધરણાં સ્થળ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે પણ તમામને શાંતિ જાળવવા અપીલ કરી છે.
કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા ખેડૂતો
તમને જણાવી દઈએ કે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોની લડાઈ હવે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સુધી પહોંચી ગઈ છે. કુસ્તીબાજોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂત સંગઠનો અને ખાપ પણ ખુલ્લેઆમ આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech