ગીર સોમનાથના સૌથી મોટા શિંગોડા ડેમમાંથી પાણી છોડાયું

  • April 04, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લ ાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના.ખેડૂતોનાં ખેતરો ઉનાળુ પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે.જેમાં તલ, અડદ, મગ બાજરી, શેરડીનું વાવેતર છે. આ પાક માટે જરૂરી પાણી શિંગોડા ડેમ માંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે.શિંગોડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં ૧૨૫ ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે.આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પાક પાણી પી રહ્યા છે.પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવા થી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શિંગોડા ડેમની બ્રાન્ચ કેનાલ માંથી જે ૧૬ ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે તે ગામોને જો સિંચાઈ માટે પાણી ન મળે તો જમીન બંઝર બની જાય તેવી સ્થિતિ હતી.પરંતુ પાણી મળવાથી ખેડૂતોની જમીન ફળદ્રુપ બની છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે ૧૦ પૈકી ૪ ગામોના તળમાં તો પાણીજ નથી. ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે.આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા સિંચાઈ યોજના માંથી ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શ કરી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. શિંગોડા ડેમ માંથી કુલ ૧૬ ગામોના ખેડૂતોની ૧૦૦૦ હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે. ગીર જંગલમાં આવેલા આ ડેમ ની પાણીની કેપેસીટ ની જો વાત કરીએ તો ૧૮.૮૦ મીટર જેટલી કેપેસીટ છે. જ્યારે હાલ ડેમમાં કુલ ૪૫ ટકા જેટલો જથ્થો છે.જેમાંથી ડેમ ગીર જંગલની મધ્યમાં હોવાથી વન્ય જીવો જેવા કે સિંહ, દીપડા, હરણ, સાંબર સહિત નાના મોટા વન્ય પ્રાણીઓ માટે ૧૦૦  પાણીનો જથ્થો રિઝર્વ રાખ્યા બાદ ૨૪ ગામના લોકોને પીવા અને ૧૬ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે.ઉનાળુ સિંચાઈ માટે પ્રથમ પાણી હાલ ચાલુ છે.અને બીજા બે પાણી પણ સમયાંતરે આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application