આલ્કોહોલથી કેન્સરનું જોખમ વધે છે એવી ચેતવણી હવે દારૂની બોટલો પર લખાશે

  • February 05, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) દારૂની બોટલો પર દારૂને કારણે કેન્સર થવાનું જોખમ છે એવી વધુ સ્પષ્ટ ચેતવણી લખવા માટે દારૂ કંપ્નીઓ સાથે પ્રારંભિક ચર્ચા  શરુ કરી છે એમ સુત્રોએ જણાવ્યું હતું. બોમ્બે હાઈકોર્ટે દારૂની બોટલો પર કેન્સર ચેતવણીઓ અંગે એફએસએસએઆઈને નોટિસ પણ જારી કરી છે. અમેરિકાના સર્જન જનરલે દારૂની બોટલો પર આવી ચેતવણી આપવની દરખાસ્ત કર્યા પછી હાઇકોર્ટમાં આ અંગે અરજી કરી હતી.
યુએસ સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ તાજેતરમાં ભલામણ કરી હતી કે આલ્કોહોલિક પીણાંથી કેન્સર થઇ શકે છે તે વિશે ચેતવણી લેબલો લગાવવા જોઈએ. 22 પાનાની સલાહકારમાં કહેવામાં આવ્યું હતું કે, તમાકુ અને સ્થૂળતા પછી, યુનાઇટેડ સ્ટેટ્સમાં દારૂનું સેવન કેન્સરનું ત્રીજું મુખ્ય રોકી શકાય તેવું કારણ છે. જ્યારે છેલ્લા ચાર દાયકામાં આ અંગેના વૈજ્ઞાનિક પુરાવા વધી રહ્યા છે, ત્યારે અડધાથી ઓછા અમેરિકનો દારુને કેન્સરકારક પરિબળ મને છે. સ્તન, યકૃત અને કોલોરેક્ટલ કેન્સર સહિત ઓછામાં ઓછા સાત પ્રકારના કેન્સર માટે દારૂ એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ છે. નોંધનીય છે કે, સ્તન કેન્સરના લગભગ 16.4 ટકા કેસ દારૂના ઉપયોગને કારણે થાય છે. બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્યને એક જાહેર હિતની અરજી પર નોટિસ જારી કરી હતી જેમાં દારૂની બોટલો પર કેન્સર ચેતવણી લેબલ લગાવવાની માંગ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application