ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થયો છે. આવી જ રીતે ભેજના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે અને 82 થી 90 ટકા ભેજ નોંધાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધી જતા અને ભેજનું પ્રમાણ પણ વધી જવાના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં બેચેની અને અકળામણ જેવું વાતાવરણ લોકો અનુભવી રહ્યા છે. હવામાન ખાતાએ આ સંદર્ભે એલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે આ પરિસ્થિતિ હજુ આગળ વધશે અને તારીખ 9 તથા 10 ના રોજ બે દિવસ માટે ગરમી અને ભેજવાળા વાતાવરણ સંદર્ભે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી હતું તે આજે 15.2 ડિગ્રી થયું છે. અમરેલીમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન આજે 18 ડીગ્રી થઈ ગયું છે, ભાવનગરમાં આજનું લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી છે જે ગઈકાલના 16 ડિગ્રીના પ્રમાણમાં ચાર ડિગ્રી જેટલું વધુ છે. દ્વારકામાં ગઈકાલે 19.4 અને આજે 23 પોરબંદરમાં ગઈકાલે 14.5 અને આજે 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો નલિયામાં 34.2 અમરેલીમાં 36 ભાવનગરમાં 33.2 પોરબંદરમાં 35.8 વેરાવળમાં 30 મહુવામાં 36.4 ડિગ્રી નોંધાયું છે.
રાજયના અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળે છે. જોકે રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી જેટલું ઊંચકાયું છે. રાજકોટમાં ગઈકાલે 14 અને આજે 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ગઈકાલે 37.5 ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે અને ભેજના પ્રમાણમાં પણ વધારો થવાનો હોવાથી બેચેની અને અકડામણ વધી જશે. ગુજરાત ઉપરાંત કોકણ ગોવા કેરલા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે. કોકણ અને ગોવામાં તો હીટ વેવનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
તારીખ 9 ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાઇ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજના પ્રમાણમાં વધારો થશે તેમ પણ જણાવાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech