વોર્ડ નં. 12માં ચાંદીપુરા રોગ અંગે જી.જી. હોસ્પિટલનાં ડોકટરોએ લોકોને માહિતી આપી

  • July 29, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન દ્વારા અપાતું પાણી લોકોએ કલોરીનેશન કરીને પીવા કરાયો અનુરોધ



જામનગર ના  વોર્ડ નંબર 12 માં સરકારની આરોગ્યની ઉચ્સ્તરીય ટીમ દ્વારા હાલમાં જામનગરમાં કોલેરા તેમજ ચાંદીપુરા રોગે ભરડો લીધો હોવાથી મુલાકાત લેવામાં આવેલ હતી, જેમાં જામનગર ધાંચીવાડ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ગાંધીનગરની ટીમ અને જી.જી. હોસ્પિટલની ટીમ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે ચચર્-િવિચારણા કરેલ હતી.


આ તકે સ્થાનિક આગેવાનોને ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. ભદ્રેશ વ્યાસ, ડો. તિવારી, ડો. ગોરી, ડો. ભાયા,  ડો. નકુમ  અને  ડો. હિંગોરા  દ્વારા સ્વચ્છતા માટે શપથ લેવડાવેલ હતા અને લોકોને પાણી ઉકાળીને પીવા અને બરફનો હાલના તબક્કે ત્યાગ કરવા અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું કલોરીનેશન કરીને પાણી પીવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનીક લોકોનો ખુબ સાથ સહકાર મળેલ હતો.


આ તબ્બકે અલ્તાફભાઈ ખીરા, અબરારભાઈ ગજીયા, ઝમીરભાઈ ડોસાણી (એ.આઈ.એમ.જે.એફ. જીલ્લા પ્રમુખ), ડો. ઝાહીદ રાઠોડ, ખાલીદભાઈ વડગામા (ઘાંચી સમાજના ઉપપ્રમુખ), શાહીદ ઘાંચી વગેરે અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા અને સરકારની આરોગ્યની ટીમને લોકોના આરોગ્યને લગત કામમાં તમામ મદદની ખાત્રી આપેલ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application