વિશ્વમાં તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ૨૦૦૦માં ત્રણમાંથી એક વ્યકિત ધૂમ્રપાન કરતો હતો, ત્યારે હવે પાંચમાંથી એક વ્યકિત ધૂમ્રપાન કરે છે. સંસ્થાના મતે, આ ઘટાડો એટલા માટે પણ મોટો છે કારણ કે વિશ્વનો તમાકુ ઉધોગ પોતાના ફાયદા માટે વૈશ્વિક સ્વાસ્થ્ય નીતિઓને પ્રભાવિત કરી રહ્યો છે. ડબ્લ્યુએચઓના વૈશ્વિક અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૦૦ માં ૧.૩૬ અબજની સરખામણીએ ૨૦૨૨ માં ૧૫ વર્ષ અને તેથી વધુ વયના ૧.૨૫ અબજ લોકોએ તમાકુનું સેવન કરતા હતા. ડબ્લ્યુએચઓ કહ્યું છે કે ૨૦૩૦ સુધીમાં તમાકુનો ઉપયોગ ઘટીને લગભગ ૧.૨ અબજ લોકો સુધી સીમિત થઈ જશે.
ડબ્લ્યુએચઓની તમાકુ વિરોધી ઝુંબેશથી આ કેવી રીતે પ્રભાવિત થાય છે તેનું ઉદાહરણ ફેબ્રુઆરીમાં પનામામાં ડબ્લ્યુએચઓની તમાકુ નિયંત્રણ બેઠકમાં આવ્યું હતું, યારે તમાકુ કંપનીઓએ કેટલાક દેશોને પ્રભાવિત કરવા માટે તકનીકી અને નાણાકીય મદદની ઓફર કરી હતી. રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં ધૂમ્રપાન સૌથી વધુ છે. અહીંની વસ્તીનો ચોથો ભાગ ધૂમ્રપાન કરે છે. ઇજિ, જોર્ડન અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશોમાં હજુ પણ તમાકુનો ઉપયોગ વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech