ફિલિપાઈન્સના કાનલોન જવાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે લગભગ ૮૭,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ વિસ્ફોટના કારણે આકાશમાં હજારો મીટર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો. જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ફિલિપાઈન્સ ઈન્સ્િટટૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ આ અંગે ચેતવણી જાહેર કરી છે.
સેન્ટ્રલ નેગ્રોસ ટાપુ પર માઉન્ટ કાનલોન ફાટી નીકળવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ચેતવણીનું સ્તર એક સ્તર વધારવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે વધુ વિસ્ફોટક શકય છે.
ફિલિપાઈનના મુખ્ય જવાળામુખી વિજ્ઞાની ટેરેસિટો બાકોલકોલ અને અન્ય અધિકારીઓએ ટેલિફોન દ્રારા જણાવ્યું હતું કે વાળામુખીની રાખ જવાળામુખીની પશ્ચિમમાં ૨૦૦ કિલોમીટર (૧૨૪ માઈલ)થી વધુ સમુદ્રમાં એન્ટિક પ્રાંત સહિત મોટા વિસ્તાર પર પડી હતી અને તે આરોગ્ય માટે એક ખતરો બની ગઈ હતી.
ફિલિપાઈન્સની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર કેનલોન ફાટી નીકળવાના કારણે આ વિસ્તારમાં ઓછામાં ઓછી છ ડોમેસ્ટિક લાઈટસ અને સિંગાપોરની એક લાઈટ કેન્સલ કરવામાં આવી હતી અને બે સ્થાનિક લાઈટસ ડાયવર્ટ કરવામાં આવી હતી. કેન્લોનના પશ્ચિમી અને દક્ષિણ ઢોળાવની નજીકના નગરો અને ગામોમાં સામૂહિક સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું, જે તેની રાખથી ઢંકાઈ ગયા હતા, જેમાં નેગ્રોસ ઓકિસડેન્ટલના લા કાસ્ટેલાના શહેરનો સમાવેશ થાય છે, યાંથી લગભગ ૪૭,૦૦૦ લોકોને ૬ કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યા હતા.
શહેરના મેયર માયલા માંગીલિમુતને એસોસિએટેડ પ્રેસને ટેલિફોન દ્રારા જણાવ્યું હતું. આજે સવાર સુધીમાં, ૬,૦૦૦ થી વધુ લોકો લા કાસ્ટેલાનામાં સ્થળાંતર કેન્દ્રોમાં સ્થળાંતર થયા છે, તે ઉપરાંત અસ્થાયી પે સંબંધીઓના ઘરે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કેાસ જુનિયરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં સ્થાનાંતરિત ગ્રામજનોને સહાય પૂરી પાડવા માટે સત્તાવાળાઓ તૈયાર છે અને તેમના સામાજિક કલ્યાણ સચિવ આજે વહેલી સવારે અસરગ્રસ્ત વિસ્તારમાં ઉડાન ભરી હતી. જયારે સરકારી વૈજ્ઞાનિકો ઝેરી વાળામુખી વાયુઓથી પ્રદૂષણના જોખમને કારણે હવાની ગુણવત્તા પર નજર રાખી રહ્યા હતા. સત્તાવાળાઓએ શાળાઓ પણ બધં કરી દીધી અને અત્યતં સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ કર્યુ લાદી દીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech