ઇન્ડોનેશિયામાં વાળામુખી ફાટી નીકળ્યો છે જેના પગલે ૧૦ કિલોમીટર સુધી લાવા ફેલાતા આંતરરાષ્ટ્ર્રીય એરલાઇન્સે લાઇટસ રદ કરવી પડી છે. બાલીની લાઇટસ રદ કરવામાં આવતા ઘણા પ્રવાસીઓ ફસાયા છે.
ઈન્ડોનેશિયામાં માઉન્ટ લેવોટોબી લાકી લાકી વાળામુખી ફાટાના ઘણા દિવસો પછી પણ તેમાંથી લાવા અને રાખ ૧૦ કિલોમીટરની ઐંચાઈ સુધી બહાર આવી રહ્યા છે. જે બાદ બુધવારે (૧૩ નવેમ્બર) ઘણી આંતરરાષ્ટ્ર્રીય એરલાઈન્સે બાલી માટે તેમની સેવાઓ રદ કરી હતી. રાખના વાદળો સતત વધવાને કારણે ઘણા લોકોએ ત્યાંથી ભાગવું પડું છે. જેટસ્ટાર અને કવાન્ટાસે વાળામુખીની રાખ પર સલામતીની ચિંતાઓને કારણે બાલીમાં કામગીરી સ્થગિત કરી દીધી હતી, યારે એરએશિયા અને વર્જિને બાલીની લાઇટસ ગ્રાઉન્ડ કરી દીધી છે. સિંગાપોર એરલાઇન્સે પણ વાળામુખીને કારણે બાલીથી સિંગાપોર સુધીની લાઇટસ રદ કરવાની પુષ્ટ્રિ કરી છે. ઈન્ડોનેશિયાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પશ્ચિમ નુસા તેન્ગારા પ્રાંતના લોમ્બોક એરપોર્ટ પરની કામગીરી સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવી છે. ૪ નવેમ્બર અને ૧૨ નવેમ્બરની વચ્ચે, બાલીના નગુરાહ રાય એરપોર્ટના જનરલ મેનેજર અહમદ સયુગી શહાબે જણાવ્યું હતું કે સિંગાપોર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોની તમામ ૮૦ લાઇટસ રદ કરવામાં આવી છે
પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા છે
આ બધાની વચ્ચે લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર ફસાયેલા પ્રવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પર્થથી પોતાના પરિવાર સાથે બાલીની મુલાકાતે આવેલા ચાર્લી ઓસ્ટીને ઉદાસીન સ્વરે કહ્યું, એરલાઈન્સે રહેવાની વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે અમે આ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. તેના પરત ફરવાની ચિંતા હતી.
વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા
એપી સૂત્રોના જણાવ્યા અનુસાર, વાળામુખી ફાટવાને કારણે ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા હતા. માઉન્ટ લેવોટોબી લાકી–લાકીનો પ્રથમ વિસ્ફોટ બાલીથી લગભગ ૮૦૦ કિમી દૂર પૂર્વ નુસા ટેન્ગારામાં ૩ નવેમ્બરના રોજ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે આ પછી પણ વિસ્ફોટ થતા રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech