પોરબંદરમાં બ્રહ્મસમાજ દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ યોજાયા

  • September 03, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પુજય ભાઈશ્રીના પ્રાગટ્ય દિન નિમિત્તે બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા વિષ્ણુ સહસ્ત્રના નામ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જાણીતા કથાકાર પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જન્મદિન નિમિત્તે પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ગોહિલ વાડી વિદ્યાર્થી ભવન ખાતે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ વિવિધ બહ્મ અગ્રણીઓ  તથા બ્રહ્મ મહિલા મંડળ અગ્રણી અને સાંદિપની ઋષિકુમારોની  ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતુ.આ પ્રસંગે બ્રહ્મ અગ્રણી અશ્વિનભાઈ ઠાકર, યોગેશભાઈ ભાભા, રમણીકભાઈ પુરોહિત, અશ્ર્વિનભાઈ દવે, સુરેશભાઈ શિલુ, વી. ઉપરાંત ગોહિલ વાડી વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી અને બ્રહ્મ અગ્રણી  યોગેશભાઈ જોશી, ગોહિલ વાડી બ્રહ્મ અગ્રણી  ગિરીશભાઈ વ્યાસ,મંત્રી અલ્પેશભાઈ જોશી, ડો.લલિતભાઈ જોશી તેમજ પુ. ભાઈશ્રીના અંતરંગ ભકતગણ ડો.સુરેશભાઈ ગાંધી તથા ડો. ભરતભાઈ ગઢવી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પુ.ભાઈશ્રીના દીર્ધાયુ સાથે જન્મદિન પ્રસંગે શુભ કામનાની ભગવાન શ્રીહરિને અભ્યર્થના અને પ્રાર્થના સાથે સંપન્ન થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application