વિરાટ કોહલી 15 માર્ચે તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો. આ દિવસે, ફ્રેન્ચાઇઝીએ પાદુકોણ-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખાતે 'ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટ' નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સિરીઝ દરમિયાન પરિવારને ખેલાડીઓથી દૂર રાખવા પર નારાજગી વ્યક્ત કરી હતી. IPL 2025 શરૂ થાય તે પહેલાં, તેમણે BCCI ના આ નિયમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમનું માનવું છે કે પરિવારના સભ્યોનો ખરાબ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી પરંતુ તેમની હાજરી ચોક્કસપણે પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે.
કોહલીએ નિયમ વિશે શું કહ્યું?
પ્રવાસ દરમિયાન પરિવારની હાજરી મર્યાદિત કરવા અને ખરાબ પ્રદર્શન માટે પરિવારને દોષ આપવા બદલ વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું, 'જ્યારે પણ મેદાન પર કંઈક ગંભીર બને છે ત્યારે લોકોને પરિવારમાં પાછા ફરવું કેટલું મહત્વપૂર્ણ છે તે સમજાવવું ખૂબ મુશ્કેલ છે.' મને નથી લાગતું કે લોકો સમજે છે કે આ કેટલું મહત્વપૂર્ણ છે. તેથી હું ખૂબ જ નિરાશ છું કારણ કે જેમનો રમત પર કોઈ નિયંત્રણ નથી તેમને નિશાન બનાવવામાં આવે છે. તેમના પર દોષારોપણ થાય છે અને વાતચીત શરૂ થાય છે કે કદાચ તેમને દૂર રાખવાની જરૂર છે.
'પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે'
વિરાટ કોહલીએ આગળ સમજાવ્યું કે કેવી રીતે પરિવાર ખેલાડીઓને તેમના પ્રદર્શનને સુધારવામાં મદદ કરે છે. કોહલીએ કહ્યું, 'જો તમે કોઈ ખેલાડીને પૂછો કે શું તે ઇચ્છે છે કે તેનો પરિવાર હંમેશા તેની આસપાસ રહે?' તો તે હા કહેશે.' તેણે આગળ કહ્યું, 'હું મારા રૂમમાં એકલો બેસીને ઉદાસ રહેવા માંગતો નથી.' હું નોર્મલ રહેવા માંગુ છું અને પછી તમે તમારી રમતને જવાબદારી તરીકે જોઈ શકો છો. તમે તે જવાબદારી પૂર્ણ કરો છો અને પછી સામાન્ય જીવનમાં પાછા ફરો છો.
BCCI નો નિયમ શું છે?
ગયા વર્ષે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં સતત બે શ્રેણી જીતનારી ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા. આ પછી, BCCI એ કડક મુસાફરી નીતિ જાહેર કરી હતી અને વિદેશી પ્રવાસ દરમિયાન ખેલાડીઓના પરિવારોની હાજરી મર્યાદિત કરી હતી. નિયમો મુજબ, હવે ખેલાડીઓના પાર્ટનર અને બાળકો બે અઠવાડિયાના સમયગાળા માટે દરેક સિરીઝમાં ફક્ત એક જ વાર આવી શકશે. આ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ માટે મોટો ફટકો હતો. પહેલાં આવો કોઈ પ્ર
તિબંધ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNorth Macedonia Fire: ઉત્તર મૈસેડોનિયાના નાઈટક્લબમાં ભીષણ આગ, 51 લોકોના મોત અને 100 ઘાયલ
March 16, 2025 09:56 PMજૂની કાર ખરીદતા પહેલાં ચેતજો! 1 એપ્રિલથી નવા નિયમો લાગુ, નહીં તો ગેરકાયદેસર
March 16, 2025 09:52 PMબલૂચ બળવાખોરોએ ફરી મચાવ્યો પાકિસ્તાન પર કહેર, આત્મઘાતી હુમલામાં 7 સૈન્ય સૈનિકો માર્યા ગયા
March 16, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech