ત્રિપુરામાં મહાકાલી માતાની મૂર્તિ તોડવાને કારણે હિંસા, 12 ઘરોને સળગાવી દીધાક, વાહનોને પણ આગ ચાંપી

  • August 26, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરની મૂર્તિને નુકસાન થયા બાદ અજાણ્યા લોકોએ 12 મકાનો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. સોમવારે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તણાવ ઓછો કરવા માટે વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.


સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાત્રે કૈતુરબારીમાં દેવી કાલીની મૂર્તિ ખંડિત મળી આવ્યા બાદ આવારા તત્વોએ રાનીરબજારમાં લગભગ 12 ઘરોને આગ લગાવી દીધી હતી. કેટલીક મોટરસાઈકલ અને પીકઅપ પણ સળગી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા ટોળાને જોઈને લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. અનંત દાસે કહ્યું કે તણાવ ઓછો કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ઈન્ટેલીજન્સ ઓફિસર અનુરાગ ધનખર અને પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે વિસ્તારની મુલાકાત લીધી છે.


તેમણે કહ્યું કે મિલકતોને થયેલા નુકસાનનું આકલન પૂર્ણ કર્યા પછી, પોલીસ સુઓ મોટુ સંજ્ઞાન લેશે અને કેસ નોંધશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application