મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ

  • March 08, 2025 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરમાં કુકી અને મૈતેઈ બહુમતીવાળા વિસ્તારોમાં લગભગ 2 વર્ષ પછી ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ હિંસા ભડકી ઉઠી. ઈમ્ફાલ, ચુરાચાંદપુર, કાંગપોકપી, વિષ્ણુપુર અને સેનાપતિને જોડતા રસ્તાઓ પર શનિવારે જેવી બસો દોડવાની શરૂ થઈ, કે તરત જ કુકી સમુદાયના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો.


સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં એક પુરુષ પ્રદર્શનકારીનું મોત થયું છે, જ્યારે 25 અન્ય ઘાયલ થયા છે. મૃતકની ઓળખ લાલગૌથાંગ સિંગસિટ (30 વર્ષ) તરીકે થઈ છે. લાલગૌથાંગ અથડામણ દરમિયાન ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. હોસ્પિટલ લઈ જતા સમયે તેનું મોત થયું હતું.


સુરક્ષા દળોએ પેલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર

પ્રદર્શનકારીઓએ અવરજવર રોકવા માટે રસ્તાઓ પર પથ્થરો પાથરી દીધા હતા. રસ્તાઓ પર ઝાડ કાપીને પાડી દીધા હતા. ઘણી જગ્યાએ ગાડીઓ ઊભી રાખીને રસ્તાઓ રોકી દીધા હતા. બસો, કારમાં આગ લગાવી દીધી હતી. હિંસા કરી રહેલા લોકોને રોકવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જવાબમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application