બંગાળ બંધ દરમ્યાન હિંસા : ભાજપના નેતાઓ પર TMC કાર્યકર્તાઓનો ગોળીબાર, 2 ઇજાગ્રસ્ત

  • August 28, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ભાજપના બંગાળ બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. ભાજપનાના એક નેતાએ દાવો કર્યો છે કે TMC કાર્યકર્તાઓએ તેમની કાર પર સામેથી ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ઉત્તર 24 પરગણાના ભાટપારા વિસ્તારમાં બની હતી. 



પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, ફાયરિંગ હત્યાનો પ્રયાસ હતો અને કુલ 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ભાજપ  નેતા પ્રિયંગુ પાંડેએ કહ્યું કે શાસક પક્ષ સાથે જોડાયેલા લોકોએ આ હુમલો કર્યો છે. તેમની કારની વિન્ડશિલ્ડમાં દેખાતા ગોળીઓના નિશાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળ બંધ દરમિયાન, ભાજપ અને ટીએમસીના કાર્યકરો ઘણા જિલ્લાઓમાં એકબીજા સાથે અથડામણ કરી. બંધ દરમિયાન નદિયામાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.



બીજેપી-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ


બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર દેખાવો કર્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application