મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી સીઆરપીએફના બે જવાનના મોત

  • April 27, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરમાં ફરી હિંસાનો દૌર શરૂ  થયો છે અને નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ ૨:૧૫ વાગ્યાની વચ્ચે કુકી આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બે જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ સૈનિકો રાજયના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફની ૧૨૮મી બટાલિયનના હતા. મણિપુર પોલીસે આ અંગે માહિતી આપી હતી.


વિષ્ણુપુર વિસ્તાર મણિપુરમાં આવે છે અને લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા એટલે કે ૧૯મી એપ્રિલે મતદાન દરમિયાન આ વિસ્તારમાં હિંસા થઈ હતી. આ સાથે ૨૬મી એપ્રિલે હિંસા પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં મતદાન પણ થયું હતું. અગાઉ રાજયમાં કુકી સંગઠનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યેા હતો અને ન્યાય નહીં, વોટ નહીંના નારા પણ લગાવ્યા હતા. જો કે, મુખ્ય ચૂંટણી અધિકારી પ્રદીપ કુમાર ઝાએ ક્રવારે કહ્યું હતું કે છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી ૭૫ ટકા મતદાન થયું છે અને હિંસાની કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. તેમણે કહ્યું કે માત્ર એક જ ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ઈવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી.

મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે શરૂ  થયેલી હિંસાનો અતં આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ સાથે અનેક લોકો બેઘર પણ બન્યા છે. ગયા વર્ષે મે મહિનામાં હિંસા ફાટી નીકળી ત્યારથી સતત ફાયરિંગ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application