મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામોમાં સશસ્ત્ર માણસો દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને બોમ્બ ધડાકા કરાતા સુરક્ષા દળો ધસી ગયા હતા અને સુરક્ષા દળો તેમજ હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધીમાં આ હિંસાએ 250 થી વધુ લોકોના ભોગ લીધા છે અને હજારો લોકો બેઘર થયા છે. મુખ્યમંત્રીએ હુમલાની આકરી નિંદા કરી છે.
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે.પહાડી વિસ્તારના સશસ્ત્ર માણસોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામોમાં ગોળીબાર કર્યો અને બોમ્બમારો કર્યો. આ હુમલાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બંને ગામોમાં ભારે ગોળીબાર થયો. પહાડીઓમાંથી સશસ્ત્ર માણસોએ સાંસાબી ગામ અને આસપાસના વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર અને બોમ્બ ધડાકા શરૂ કયર્,િ જેનાથી સુરક્ષાકર્મીઓ જવાબી કાર્યવાહી કરવા પ્રેયર્,િહોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે સશસ્ત્ર લોકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો ત્યારે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી હતી . સશસ્ત્ર માણસોએ સવારે 11.30 વાગ્યે જિલ્લાના થમનપોકપી ગામમાં પણ હુમલો કર્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
હિંસામાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો સહિત સુરક્ષા દળોએ ક્રોસફાયરમાં ફસાયેલી ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના જીવ બચાવ્યા હતા. ગયા વર્ષે મેથી મણિપુરમાં મેઇતેઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં 250 થી વધુ લોકો માયર્િ ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech