ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓને હવે દંડની સાથે જેલની સજાની પણ શક્યતા

  • September 11, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓ તેમજ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓ સામે પોલીસનું સખત વલણ


જામનગર શહેરમાં ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરતા વાહનચાલકો માટે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, ઘણા વાહનચાલકો નંબર પ્લેટ વાળી નાખવા અથવા તો નિયમ મુજબની નંબર પ્લેટ ન લગાવીને ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરે છે.


આવા બેદરકાર વાહનચાલકો સામે હવે માત્ર એમવી એક્ટ હેઠળ જ નહીં, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમો પણ ઉમેરીને કડક કાર્યવાહી કરવામાં આવશે., આનો અર્થ એ થયો કે, આવા વાહનચાલકોને હવે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. આ નિર્ણયથી જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં મદદ મળશે, અને રસ્તા પરના અકસ્માતોમાં પણ ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application