વિક્રમ સોરાણીનુ પક્ષાંતર: પાર્ટી પ્રવેશ મહોત્સવનું નામ અપાયુ

  • April 30, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અને લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ટિકિટના પ્રબળ દાવેદાર વિક્રમ સોરાણીએ પક્ષાંતર કર્યું છે અને સોમવારે સાંજે રામપર બેટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે.


જો વિક્રમ સોરાણી ને ટિકિટ મળી હોત તો રાજકોટમાં પણ સુરત વાળી થવાની શક્યતા હતી તેવી આશંકા કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ડોક્ટર હેમંગભાઈ વસાવડાએ ગયા સપ્તાહે વ્યક્ત કરી હતી. જોકે ટિકિટ ન મળી હોવા છતાં પણ સોરાણીના ભાજપ પ્રવેશ બાબતે ભારે ચર્ચા થઈ રહી છે.
સોમવારે સાંજે યોજાયેલા પક્ષાંતરના આ કાર્યક્રમને પાર્ટી પ્રવેશ મહોત્સવ નું નામ અપાયું હતું અને તેમાં મોહનભાઈ કુંડારીયા રાજ્ય સભાના સભ્યો કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા દર્શિતાબેન શાહ પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ ભાજપ્ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અલ્પેશભાઈ ઢોલરીયા નાગદાન ભાઈ ચાવડા નરેન્દ્રસિંહ જાડેજા જયેશભાઈ બોઘરા હરેશભાઈ હેરભા પ્રવિણાબેન રંગાણી સહિતના હાજર રહયા હતા.
ભાજપ્ના પ્રદેશ પ્રમુખ પાટીલ આ કાર્યક્રમમાં સંબોધન કરવા માટે ઊભા થયા ત્યારે તેમણે પોતાની પાસેના લિસ્ટમાંથી વાંચીને આગેવાનોના નામ બોલ્યા હતા. જોકે આમ છતાં દુર્લભજીભાઈ દેથરીયા અને દર્શિતાબેન શાહના નામના ઉચ્ચારણમાં સામાન્ય ભૂલ થવા પામી હતી.
આ કાર્યક્રમમાં પાટીલે જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણી નવા સીમાંકન મુજબ થશે ત્યારે તેમાં બેઠકોની સંખ્યા અત્યારે જે 543 છે તે 700ને પાર કરી જશે અને હાલ સંસદમાં મહિલાઓની સંખ્યા 80 આસપાસ છે તે 225 થી વધી જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application