વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો તખતેશ્વર વોર્ડ ખાતેથી પ્રારંભ

  • February 06, 2024 04:25 PM 

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આજથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. શહેરના તખતેશ્વર મહાદેવના મંદિર ખાતેથી યાત્રાની શરૂઆત કરાઈ હતી. ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા ભારત સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વીકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ તખતેશ્વર મંદિરેથી મનપાના મેયર ભરતભાઈ બારડ,સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, મ્યુ.કમિશનર એન.વી.ઉપાધ્યાય સહિતનાની ઉપસ્થતિમાં કરાયો હતો. અને વિવિધ લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application