પુ.મંગલપુરીબાપુની તિથિ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો યોજાયા

  • September 07, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચેતન સમાધિષ્ઠ પુ.મંગલપુરીબાપુની તિથિની ઉજવણી કરવામાં આવી હતી.
શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગુરૂ એવા ચેતન સમાધિષ્ઠ પુજ્ય મંગલપુરીબાપુની તિથિની ઉજવણી કરવામાં આવી હતી.આજથી ૨૦૦ વર્ષ પહેલા જીવતા જ સમાધિ લીધી એવા પુજય બાપુની તિથી નિમિત્તે શિવકથાકાર માધુરીબેન દ્વારા મહાદેવના મંદિરે ૫૫૫ દિવડાની દિપમાળા પ્રગટાવવામાં આવી હતી ને મહાદેવને તથા પુજય મંગલપુરીબાપુને થાળ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ બટુકભોજન શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવ્યુ હતુ. મુંગા પશુઓને રોટલો,બિસ્કીટ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.આ સંપુર્ણ આયોજન શ્રી શિવશક્તિ અન્નક્ષેત્રએ શ્રી ત્રિનેત્ર મહાદેવ યુવા ગ્રુપ સહકારથી કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application