જૈનાચાર્યની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

  • July 03, 2024 11:41 AM 

ખંભાળિયાના આરાધના ધામ ખાતે પ્રવૃત્તિઓ યોજાઈ


જય આચાર્ય શ્રી વજ્રસેન વિજયજી મ.સા.ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા સ્થિત પ્રખ્યાત હાલારતિર્થ આરાધનાધામ ખાતે સ્ટાફ પરિવાર દ્વારા પાંજરાપોળની 500 જેટલી ગાયોને ગોળ, ખોળ, કપાસિયા, પ્રોટીન પાવડરનું જમણ કરાવાયું હતું.


આ સેવા પ્રવૃત્તિ માટે શ્રી વીરપાર પુંજાભાઈ ખીમસીયા પરિવાર (હ. પ્રેમચંદભાઈ તથા સ્વ. કિશોરભાઈ જામનગર પરિવાર ને સેવા લાભ મળ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયામાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને મિષ્ટાન, ફરસાણ સાથેનું વ્યવસ્થિત ભોજન પણ હાલાર તીર્થ આરાધનાધામ સ્ટાફના પરિવાર દ્વારા કરાવાયું હતું.


આ સાથે પ્રભુ શ્રી મહાવીર સ્વામી દાદાની આંગી માતુશ્રી રૂપાબેન નરશી પોપટ મારુ પરિવાર - જામનગર તરફથી રાખવામાં આવી હતી. આ સેવાકીય કાર્યની પ્રેરણા પ.પુ. આ. શ્રી મનમોહનસુરીજી મ.સા. તથા પ.પુ. આ. શ્રી હેમપ્રભસુરીજી મ.સા.એ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application