જલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

  • February 24, 2025 11:40 AM 

મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા સમૂહ પ્રસાદનું સુચારુ આયોજન



સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વખતની જેમ આ વખતે પણ વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે ગઈકાલે રવિવારે અત્રે વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડીમાં સવારથી સાંજ સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં પ્રાપ્ત થયેલું રક્ત અહીંની સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ તેમજ કે.વાય.સી.ના કેમ્પનો લાભ પણ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે અને રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ-બહેનો માટે સમૂહ પ્રસાદ (નાત)નું પણ સુંદર આયોજન લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં નવી લોહાણા મહાજન વાડી ખાતે સાંજે બહેનોએ તેમજ રાત્રે ભાઈઓએ સાથે બેસીને સમૂહ પ્રસાદ લીધો હતો.

મહિલા સંસ્થા દ્વારા રોટલાને અન્નકૂટ તેમજ રક્તદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડનો કેમ્પ તેમજ સમૂહ પ્રસાદ સહિતના વિવિધ આયોજનોમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લોહાણા મિત્ર મંડળ સાથે રઘુવંશી કાર્યકરોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application