દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારત આ દિવસોમાં ચર્ચામાં રહે છે. રેલવે પણ આ ટ્રેનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ટ્રેન રેલવે દ્વારા અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. અલગ-અલગ રૂટ પર આ ટ્રેન દોડાવવાના કારણે મુસાફરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગની વંદે ભારત ટ્રેનો તેમની મુસાફરી દરમિયાન ભરેલી રહે છે પરંતુ તાજેતરમાં શરૂ થયેલી સિકંદરાબાદ-નાગપુર વંદે ભારત મુસાફરોની અછતનો સામનો કરી રહી છે.
અહેવાલ મુજબ, ટ્રેનમાં 80% થી વધુ સીટો ખાલી છે, જેના કારણે રેલવે અધિકારીઓ આશ્ચર્યચકિત છે. તેલંગાણામાં આ પાંચમી વંદે ભારત એક્સપ્રેસ છે જે વિદર્ભ અને તેલંગાણાના રામાગુંડમ, કાઝીપેટ અને સિકંદરાબાદ જેવા ઔદ્યોગિક કેન્દ્રોને જોડવા માટે 16 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવી હતી.
ટ્રેન નંબર 20102 વંદે ભારત એક્સપ્રેસની 1,440 સીટોમાંથી 1,200 ખાલી છે, તેની ઓક્યુપન્સી માત્ર 20% રહી છે. રવિવારે ટ્રેન ઉપડવાના કલાકો પહેલા 1,200 સીટો ખાલી હતી. ખાસ વાત એ છે કે એક્ઝિક્યુટિવ ક્લાસની 88 સીટોમાંથી લોકોએ માત્ર 10 સીટો બુક કરાવી હતી.
તેનાથી વિપરિત હૈદરાબાદથી બેંગલુરુ, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સુધીની વંદે ભારત ટ્રેનોની ભારે માંગ જોવા મળી રહી છે, જ્યાં આ રૂટ પર ટ્રેનોનો કબજો 90% થી 100%ની વચ્ચે છે. વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસની ટિકિટ સોમવારે વેઇટિંગ લિસ્ટમાં હતી, જે સ્પષ્ટપણે આ ટ્રેનોની લોકપ્રિયતા દર્શાવે છે.
સિકંદરાબાદ-નાગપુર વંદે ભારત એક્સપ્રેસની વાત કરીએ તો આ ટ્રેન 7 કલાક 15 મિનિટમાં પોતાની મુસાફરી પૂરી કરે છે. આ ટ્રેનમાં કુલ 1,440 બેઠકો સાથે બે એક્ઝિક્યુટિવ અને 18 ચેર કાર કોચ છે. આ ટ્રેન કાઝીપેટ, રામાગુંડમ, બલહારશાહ, ચંદ્રપુર અને સેવાગ્રામ જેવા સ્ટેશનો પર ઉભી રહે છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે જો મુસાફરોની અછત આમ જ ચાલુ રહેશે તો ટ્રેનના કોચની સંખ્યા 20થી ઘટીને 8 થઈ જશે. આમ કરવાથી આ ટ્રેનમાં માત્ર 500 સીટો જ બચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech