અલીયામાં રહેતા વાલ્મિકી યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

  • June 06, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા એક વાલ્મિકી યુવાનને ગઈકાલે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આલિયા ગામમાં હરીજનવાસમાં રહેતા દિનેશભાઈ જીવાભાઇ વાઘેલા નામના ૫૮ વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે બપોરના એકાદ વાગ્યે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની સોનલબેન દિનેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application