જામનગરના ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની ધામધૂમથી ઉજવણી

  • April 14, 2025 10:59 AM 

જામનગરમાં ગુરુદ્વારા માં વૈશાખી પર્વની ૩૨૬ મી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં સંગત જોડાયા હતા. જામનગરના ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં પ્રતિ વર્ષ વૈશાખી પર્વને હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ગઇકાલે રવિવારે ગુરુદ્વારા ખાતે સવારે સેહજ પાઠ સાહેબની પૂર્ણાહુતી કરવામાં આવી હતી અને ત્યારબાદ પંજાબથી આવેલા ભુપેન્દ્રસિંઘજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી શબ્દ-કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રંથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી, પંજાબના આનંદપુર સાહેબ દ્વારા ખાલસા પંથની સ્થાપના થઇ હતી, અને ગઇકાલે વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં (ગેહુ (ઘઉં) ની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે, અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે, દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય,  વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં શબ્દ-કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ‘ગુરુ કા લંગર’ - પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા, જ્યારે જામનગર શહેરમાં પણ આ પર્વની ગુરુદ્વારામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application