રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ પશુઓનું રસીકરણ, લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના 62 લાખ પશુઓને અપાઈ રસી

  • July 10, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી.


તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતું કે, ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.


મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, 44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, 1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા 1.54 કરોડ પશુઓનું ખરવા-મોવાસા સામે રસીકરણ કરાયું.


આ રસી અપાઈ

- ગુજરાતમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ

- બૃસેલ્લોસિસ(ચેપી ગર્ભપાત) માટે 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ

- લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના 62 લાખ પશુઓને રસી અપાઈ

- 44 લાખ ઘેટાં-બકરાઓમાં પી.પી.આર. રસીકરણ કરાયું

- 2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application