સરકાર દ્વારા ૦-૨ વર્ષના બાળકોને બાળ ક્ષય, લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી ની વિનામૂલ્યે રસી અપાય છે
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો પર લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં માટે રાજ્ય સરકારના વિવિધ પ્રોગ્રામ તેમજ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તે અંતર્ગત જામનગર જિલ્લાના વિસ્તારો જેમાં દરેડ ખોલી વિસ્તાર, ચેલા પટી ઝુંપડપટ્ટી વિસ્તાર, ચેલા ગામ, દડિયા નારાણપુર ઈંટનો ભઠ્ઠી વિસ્તારમા પોતાના બાળકોનું રસીકરણ કરાવવા માટે સહમત ન હોય તેવા પરિવારના ઘરે જઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૮ બાળકોના માતા-પિતાને રસીકરણ અંગેની ગેરમાન્યતા દુર કરી સાચી સમજણ આપી તેઓ સહમત થતા સ્થળ પર જ ૮ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં તમામ નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે. માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ શિબિરો કરી લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. રસીકરણ કાર્યક્રમ હેઠળ ૦ થી ૨ વર્ષ સુધીનાં બાળકોને છ પ્રાણઘાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી વગેરે સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે. પરંતુ રસીકરણ અંગે વિવિધ અફવાઓ, લોકોની જૂની ગેરમાન્યતાઓને કારણે લોકો તેમના બાળકોનું રસીકરણ કરાવતા નથી.
તેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જીગ્નેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવીણ પટેલના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર, એફ.એચ.એસ કાજલબેન રાવલીયા, એફ.એચ.ડબલ્યુ હેતલબેન અને અમીરુનબેન દ્વારા રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech