ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની પોસ્ટથી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવતી જોવા મળે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તેને રાજકારણમાં આવવા માટે ટિકિટ મળી છે.
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ‘JNU’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ કોલેજની રાજનીતિ પર છે. પરંતુ શું તમે જાણો છો કે, અભિનેત્રી બહુ જલ્દી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે અને એ પણ શક્ય છે કે, તે બહુ જલ્દી લોકસભાની ચૂંટણી લડી શકે છે.અભિનેત્રીએ ઈન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, તેને રાજકારણમાં કેટલો રસ છે? જેના જવાબમાં તેમણે મને રાજકારણમાં આવવા માટે ટિકિટ આપી છે, પરંતુ હવે મારે નક્કી કરવાનું છે કે, મારે તેનો ભાગ બનવું છે કે નહીં.
ઉર્વશીએ વધુમાં કહ્યું કે, તે હજુ સુધી નથી જાણતી કે તે શું નિર્ણય લેશે. તેણે રાજનીતિનો હિસ્સો બનવું જોઈએ કે, નહીં તે અંગે ચાહકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે.
અભિનેત્રીની વાત સાંભળ્યા બાદ ચાહકો તેના અભિપ્રાય આપવા લાગ્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘ઓવરએક્ટિંગ કરનાર ઉર્વશી બહેન, કૃપા કરીને અમને માફ કરો, થોડી દયા કરો. તારો અભિનય સહન નહીં થાય, હવે તું રાજકારણમાં આવીશ.
ઘણા યુઝર્સે તો ઉર્વશીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને પૂછ્યું કે, શું હવે તેને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું? એક યુઝરે લખ્યું કે, ‘અમને વિકાસ જોઈએ છે, નગ્નતા નહીં.’હાલમાં જ ઉર્વશી રૌતેલા તેના જન્મદિવસ પર 24 કેરેટ સોનાની કેક કાપીને ચર્ચામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech