ઉર્વશી રૌતેલાનો તહેલકો , કહ્યું મને ટિકિટ મળી ગઈ...

  • March 23, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની પોસ્ટથી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવતી જોવા મળે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તેને રાજકારણમાં આવવા માટે ટિકિટ મળી છે.

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ‘JNU’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ કોલેજની રાજનીતિ પર છે. પરંતુ શું તમે જાણો છો કે, અભિનેત્રી બહુ જલ્દી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે અને એ પણ શક્ય છે કે, તે બહુ જલ્દી લોકસભાની ચૂંટણી લડી શકે છે.અભિનેત્રીએ ઈન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, તેને રાજકારણમાં કેટલો રસ છે? જેના જવાબમાં તેમણે મને રાજકારણમાં આવવા માટે ટિકિટ આપી છે, પરંતુ હવે મારે નક્કી કરવાનું છે કે, મારે તેનો ભાગ બનવું છે કે નહીં.

ઉર્વશીએ વધુમાં કહ્યું કે, તે હજુ સુધી નથી જાણતી કે તે શું નિર્ણય લેશે. તેણે રાજનીતિનો હિસ્સો બનવું જોઈએ કે, નહીં તે અંગે ચાહકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે.

અભિનેત્રીની વાત સાંભળ્યા બાદ ચાહકો તેના અભિપ્રાય આપવા લાગ્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘ઓવરએક્ટિંગ કરનાર ઉર્વશી બહેન, કૃપા કરીને અમને માફ કરો, થોડી દયા કરો. તારો અભિનય સહન નહીં થાય, હવે તું રાજકારણમાં આવીશ.

ઘણા યુઝર્સે તો ઉર્વશીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને પૂછ્યું કે, શું હવે તેને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું? એક યુઝરે લખ્યું કે, ‘અમને વિકાસ જોઈએ છે, નગ્નતા નહીં.’હાલમાં જ ઉર્વશી રૌતેલા તેના જન્મદિવસ પર 24 કેરેટ સોનાની કેક કાપીને ચર્ચામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application