ભારતમાં બળાત્કાર અને હત્યાના કેસો વધતા જાય છે ત્યારે આરોપીઓ સામે સત્વરે કડક કાયદાકીય કાર્યવાહી કરી સખ્ત સજા કરવા માટે નારી રક્ષા સેના મહુવા તાલુકા મહિલા પ્રમુખ સોનલબેન કવાડ દ્વારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને મહુવા પ્રાંત અધિકારી અને મહુવા ડી.વાય.એસ.પીને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ભારતમાં દિલ્લી જેવા મોટા શહેરમાં ૨૦૧૨માં નિર્ભિયા રેપ કેસ થયા બાદ જસ્ટીશ વર્મા કમીટીથી ભલામણ મુજબ કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા અને બળત્કારો અને હત્યાના કેસોમાં હવે ફાંસી સુધીની સજાની જોગાવઈ કરવામાં આવેલ છે.આનાથી વધૂ કડક કાયદો હોય શકે? આમ છતાં આપણાં દેશમાં આશરે દરરોજ ૮૫ આવી ઘટનાઓ બને છે.
આથી બળાત્કારીઓ સામે તાત્કાલીક કેસ ચલાવી એક માસમાં પોલીસ અને કોર્ટ કાર્યવાહી પુરી કરી બળત્કારીઓને ફાંસીની સજા જાહેર કરવામાં આવે.તમામ સરકારી કર્મચારીઓ પ્રજાના ટેક્સમાંથી પગાર લેતા અમલદારી/ અધિકારી ઓને ચોકક્સ પ્રકારની જવાબદારી નકકી કરવમાં આવે.બળાત્કાર અને હત્યાના નિવારણ માટે નશાકારક વસ્તુ પર પ્રતિબંધ મુક્વામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનનાં વડાની જવાબદારી નકકી કરવામાં આવે.બળત્કાર અને હત્યા કરનાર જે તે પોલીસ મથકમાં જાણ થયેથી તાત્કાલીક ફરીયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓને ૨૪ ક્લાકમાં પકડવામાં નીષ્ફળ જનાર અધિકારી/ પોલીસ કર્મચારી સામે તપાસ કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનંત ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે, જાણો આ દિવસે અનંત સૂત્ર બાંધવાનું મહત્વ
September 16, 2024 12:44 PMજામનગરમાં બાલા હનુમાન મંદિરેથી ઉમિયા રથ થયો રવાના
September 16, 2024 12:35 PMજામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક મહિલાઓ પરેશાન
September 16, 2024 12:32 PMજામનગરમાં કુત્રિમ કુંડમાં 1880 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
September 16, 2024 12:21 PMઉપલેટામાં મકાનમાં સંતાડેલો ૧૦૮ બોટલ દારૂ સાથે શખસ ઝડપાયો
September 16, 2024 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech