ઉત્તર પ્રદેશના સંભલમાં હરિહર મંદિરના મહતં અને વાદીઓએ હાલની મસ્જીદ પહેલા મંદિર હોવાનો દાવો કોર્ટમાં કરતા જામા મસ્જિદનો તાકીદનો સર્વે કરવામાં આવ્યો હતો. ચંદૌસીના સિવિલ જજ (સિનિયર ડિવિઝન) એ અરજી સ્વીકારતી વખતે મસ્જિદના બંધારણના સર્વેનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ બાદ એક ટીમ યુપીના સંભલ શહેરની મધ્યમાં આવેલી ૧૬મી સદીની જામા મસ્જિદના સર્વેક્ષણ માટે પહોંચી હતી.સંભલના કૈલા દેવી મંદિરના ઋષિરાજ ગિરી અને અન્ય પાંચ વાદીઓએ તેમની અરજીમાં દાવો કર્યેા હતો કે પ્રાચીન મંદિરને ૧૫૨૯માં મુગલ સમ્રાટ બાબર દ્રારા મસ્જિદમાં પાંતરિત કરવામાં આવ્યું હતું.કોર્ટના આદેશ બાદ પોલીસ ફોર્સ સાથે સર્વે ટીમના આગમન બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને વિરોધ કર્યેા હતો. સર્વે ટીમના સભ્યો અને સ્થાનિક સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે વિરોધીઓને શાંત પાડા હતા.મોડી સાંજે સર્વે પૂર્ણ થયો હતો. કોર્ટે કેસની આગામી સુનાવણીની તારીખ ૨૯ નવેમ્બર નક્કી કરી છે, યારે પ્રાથમિક સર્વેના તારણો રજૂ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં વકીલ વિષ્ણુ શંકર જૈને વાદીનું પ્રતિનિધિત્વ કયુ હતું. વિષ્ણુ શંકર જૈને આ મામલે કહ્યું કે અમે આ કેસમાં ભારત સરકાર, રાય સરકાર અને મસ્જિદ સમિતિને પક્ષકાર બનાવ્યા છે. તેમણે કહ્યું કે હરિહર મંદિર આપણા આદરનું કેન્દ્ર છે. આપણી આસ્થા અને માન્યતા મુજબ અહીં કલ્કિનો અવતાર થવાનો છે. ૧૫૨૯માં બાબરે મંદિરને મસ્જિદમાં ફેરવી દીધું હતું અને આજે અમે આ અંગે અરજી દાખલ કરી છે.વિષ્ણુ શંકર જૈને કહ્યું કે આ એએસઆઈ સંરક્ષિત વિસ્તાર છે. અહીં અનેક ચિ઼ો છે, જે દર્શાવે છે કે અહીં એક મંદિર હતું. આથી જ ન્યાયાધીશે 'એડવોકેટ કમિશન'ની રચના કરવાનો આદેશ જારી કર્યેા હતો. આ સમિતિ યોગ્ય વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્રારા સર્વે કરશે. કમિટી રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરશે.
બે કલાકમાં સર્વે પૂર્ણ
સંભલની શાહી જામા મસ્જિદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો હતો. મહતં ઋષિરાજ ગિરીએ દાવો કર્યેા હતો કે ૧૫૨૯માં બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. આ કેસમાં સિવિલ જજ આદિત્ય સિંહની કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં ૭ દિવસમાં સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વેક્ષણ ટીમ થોડા કલાકો પછી મસ્જિદ પહોંચી અને તેનું સર્વે કાર્ય શ કયુ. આ દરમિયાન ડીએમ અને એસએસપી પણ સ્થળ પર હાજર હતા. સર્વેની કામગીરી બે કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી. હવે ૨૯મીએ આ અંગે આગામી સુનાવણી હાથ ધરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech