જામનગરના અત્યંત જર્જરિત અને ભયજનક ગણાતા ૧૪૦૪ આવાસનો વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાની તાકીદ

  • May 17, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૧૪૦૪ આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યાં છે, જે ઈમારત ભયજનક છે. આથી આગામી ચોમાસા ની સીઝનને ધ્યાનમાં રાખી આ આવાસમાં વપરાશ બંધ કરવા ફલેટ ધારકો ને જાહેર નોટિસ થી તાકીદ કરવામાં આવી છે.


અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફલેટ (આવાસ) ધારકની છે. પરંતુ અનેક ફલેટમાં જાળવણી કરવામાં આવી નથી. જુન-ર૦ર૩ માં આ ઈમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી અને વપરાશ બંધ કરી આવાસ ખાલી કરી આપવા સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ પછી વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ સૂચના અપાઈ હતી.


આગામી ચોમાસાની મૌસમ ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવાનો રહેશે , અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકા ની નહીં, પરંતુ આવાસ ધારક.ની રહેશે તેમ  મહાનગરપાલિકા ના સિટી ઈજનેર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application