રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારના વોર્ડ નં.૬માં દૂધસાગર માર્ગ ઉપર આવેલા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા નિર્માણ કરાયેલા વર્ષેા જુના કવાર્ટર્સ હાલમાં ખૂબ જર્જરીત અને ભયગ્રસ્ત બની ગયા હોય આ મામલે કવાર્ટરધારકોને જરી તમામ નોટિસોની બજવણી કરવામાં આવ્યા પછી બ ચેતવણી આપવા છતાં પણ આ ભયગ્રસ્ત કવાર્ટર્સ ખાલી નહીં કરતા આજે કવાર્ટર્સના નળ જોડાણ અને વીજ જોડાણ પણ કાપવાનું શ કરતાં રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ટોળા એકત્રિત થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ દૂધસાગર માર્ગ ઉપર ડેરી લેન્ડ વિસ્તાર અને આકાશદીપ સોસાયટી નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળના કવાર્ટર આવેલા છે જેમાં કુલ ૫૮ બ્લોક છે અને તેમાં ૬૯૭ જેટલા કવાર્ટર છે. ચોમાસામાં ભારે વરસાદ વરસે કે વાવાઝોડુ કુંકાય તેવી સ્થિતિમાં આ કવાર્ટર ધરાશાયી થવાની પૂરી ભીતિ હોય આ ભયગ્રસ્ત ઈમારતોને પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ જીપીએમસી એકટની કલમ–૨૬૪ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કલમ ૨૬૮ હેઠળ કવાર્ટર ખાલી કરવા નોટિસ અપાઇ હતી. આમ છતાં આ રહીશોએ કવાર્ટર ખાલી કર્યા ન હતા તેથી ગુજરાત હાઉસિંગ બોર્ડની સક્ષમ ઓથોરિટીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી પણ કોઈ યોગ્ય પ્રત્યુતર કે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.
દરમિયાન ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તેવા હેતુથી ઉપરોકત તમામ કવાર્ટર ખાલી કરાવવા માટે આજે કાર્યવાહી શ કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ રહીશોના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પીજીવીસીએલની ટીમને સાથે રાખીને તેમના વીજ જોડાણ કાપવાનું શ કરવામાં આવ્યું હતું. થોડા જોડાણો કપાત કર્યા ત્યાં જ રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને ટોળા એકત્રિત થઈ ગયા હતા. મ્યુનિ.સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ પણ કરી હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech