ઉપલેટા પંથક ધર્મભકિતની સાથે સાથે દેશભકિતના રંગે રંગાયું છે. સ્વાતંય દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ દેશભકિતના કાર્યક્રમો યોજાશે. શ્રાવણમાં પંથકના તમામ શિવાલયો, મંદિરોમાં શણગાર તેમજ દરરોજ મહાઆરતીઓ યોજાઇ રહી છે. વડીલોથી માંડી નાના બાળકો શિવની ભકિતમાં લીન બન્યા છે સાથે સાથે દેશના ૭૮માં સ્વાતંય દિનની ઉજવણ માટે તંત્રમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયાથી વહીવટી તત્રં દ્રારા તાલુકાના દરેક ગામોમાં હર ઘર તિરંગા નારા સાથે વિવિધ દેશભકિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ગઇકાલે તાલુકા વહીવટી આગેવાનીમાં વડાળી ગામે શહિદ વીર મહેશ સાગઠીયાને ભાવ વંદના અપાઇ હતી તેમજ શહીદ મહેશભાઇના પિતા અને ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાના હસ્તે મામલતદાર મહેશ ધનવાણીની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું અને પ્રાથમિક શાળામાં તીરંગા વિશે શાળાના બાળકો દ્રારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ શહિદ સ્મારકથી શહેરના મુખ્ય રસ્તાઓથી વડાળી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી. તેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. પીઆઇ ગોહિલની આગેવાનીમાં તિરંગા સાથે વિશાળ બાઇક રેલી નીકળી હતી. પાલિકાના ચીફ ઓફિસર નિલમ ઘેટીયા દ્રારા શહેરના મુખ્ય માર્ગેા તેમજ ગલી મહોલ્લામાં તિરંગા ધ્વજનું વિતરણ કરાયું હતું. પંથકમાં મામલતદાર મહેશ ધનવાણી અને તેમની ટીમ દ્રારા છ હજાર જેટલા તિરંગા ધ્વજનું વિતરણ કરાયું હતું. જયારે ભાયાવદર અને ઉપલેટામાં આજ સવારે વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. જયારે ઉપરની તસવીરમાં દેખાતા નાના બાળકો શિવ બોરિઆ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના શિવલિંગ બનાવી ઘરે પૂજા અર્ચન કરવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech