જામવાડી અને ધ્રાફામાં અનરાધાર 6 ઇંચ: ખેતરોમાં પાણી ભરાયા

  • July 19, 2024 10:52 AM 

પરડવા અને વાંસજાળીયામાં પાંચ, ઘુનડામાં ચાર, નિકાવામાં સાડા ત્રણ, મોટા વડાળા અને સમાણામાં ત્રણ ઇંચ વરસાદ: મગફળી અને કપાસના પાકને સારો ફાયદો: હવે મેઘરાજા ખમૈયા ન કરે તો નુકશાન થવાની સંભાવના


જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ઓળઘોળ બનીને વરસી રહ્યા છે, કેટલાક ગામડાઓમાં જળબંબોળ જેવી સ્થિતિનું નિમર્ણિ થયું છે, કલ્યાણપુર, જામજોધપુર અને ખંભાળીયા પંથકમાં મેઘો અનરાધાર બનીને વરસી રહ્યો છે, ગઇકાલે જામવાડી અને ધ્રાફામાં દિવસ દરમ્યાન છ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે પરડવા અને વાંસજાળીયામાં પાંચ, ઘુનડામાં ચાર, નિકાવામાં સાડા ત્રણ, મોટા વડાળા અને સમાણામાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો, આ વરસાદથી મગફળી અને કપાસના પાકને સારો ફાયદો થશે તેમ જણાય છે,  હવે જો મેઘરાજા ખમૈયા ન કરે તો નુકશાન થવાની સંભાવના છે.


તાલુકાવાઇસ વરસાદની વાત લઇએ તો જામનગર તાલુકાના જામવણથલીમાં 4 મીમી, જોડીયાના હડીયાણામાં 5, બાલંભા 7, પીઠડ 3, ધ્રોલના લતીપુરમાં 10, જાલીયાદેવાણી 20, લૈયારા 30, કાલાવડ તાલુકાના નિકાવા 87, ખરેડી 6, મોટા વડાળા 70, ભલસાણ બેરાજા 29, મોટાપાંચદેવડા 32 મીમી વરસાદ પડયો છે જયારે જામજોધપુરના સમાણામાં 72, શેઠવડાળા 69, જામવાડી 142, વાંસજાળીયા 30, ઘુનડા 90, ધ્રાફા 140, પરડવા 120, લાલપુરના પીપરટોડા 3 અને ભણગોરમાં 37 મીમી વરસાદ પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application