કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. ૨૩ જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ .૬૫૧ કરોડનાં વિકાસકામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલ માં .૧૦૦ કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરમ દિવસે એટલે કે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ ફરી એકવાર ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામો નું ખાતમુહર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને . ૬૫૧ કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં .૧૦૦ કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં .૧૩ કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે.
આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં . ૩.૩૫ કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેકટ અંતર્ગત ૮૩ આવાસ અને ૧૨ દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લ ો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું
૨૩ જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે
– મનપાના ૬૫૧ કરોડના કામોનું ખાતમુહર્ત–લોકાર્પણ કરશે
– ઝુંડાલમાં ૧૦૦ કરોડના ખર્ચે બનેલા રોડનું લોકાર્પણ કરશે
– થલતેજમાં ૧૩ કરોડ ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ
– બોડકદેવમાં વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે
– ૮૩ મકાનો અને ૧૨ દુકાનોનો ડ્રો કરશે
– ચેનપુર અંડર પાસને ખુલ્લ ો મુકવામાં આવશે
– રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભા સંબોધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech