આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જામનગરમાં: તા.૨૦ના રોજ દ્વારકામાં

  • May 18, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલે ગૃહમંત્રી જામનગરના સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરશે: જામનગર જિલ્લાને નો-ડ્રોન ફલાયઝોન જાહેર કરાયો: દ્વારકામાં સિગ્નેચર બ્રિજની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવતીકાલે જામનગરના સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરશે, તા.૨૦ના રોજ તેઓ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે અને સિગ્નેચર બ્રિજની પણ મુલાકાત લે તેવી પણ સંભાવના છે, આ પ્રોજેકટની અધિકારીઓ સાથે સમીક્ષા કરશે, અમીત શાહ જામનગર જિલ્લામાં આવતા હોય અધીક કલેકટરે તા.૧૯ના રાત્રે ૮ થી તા.૨૦ના બપોરે ૧ વાગ્યા સુધી ડ્રોન સહિતના એરોસ્પોટસના તમામ સાધનોના ઉડીયન ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે અને જામનગર જિલ્લાને નો-ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે.
જામનગરમાં અમીત શાહ આવવાના હોય ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જન્મી છે, કેન્દ્રીય ગૃહમંત્રી કોને-કોને મળે છે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી, હજુ તેમનો મીનીટ-ટુ-મીનીટનો કાર્યક્રમ આવ્યો નથી, ત્યારે ભાજપમાં પણ ઉત્સાહની લાગણી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application