ગામતળના બિનઅધિકૃત બાંધકામ ઇમ્પેકટ ફી વસુલીને નિયમિત કરાશે

  • August 24, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયમા બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે તે હેતુસર વધુને વધુ લોકો તે દિશામા ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનું નિર્ણય જાહેર કર્યેા છે ગામ તળ વિસ્તારના આડેધડ થયેલા બાંધકામોને નિયમિત કરવાની દિશામાં મહત્વના નિર્ણયની જાહેરાત કર્યેા છે.
ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઇમ્પેકટ ફીના કાયદાને વધુ સરળ બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય જાહેર કર્યેા છે ગામતળ વિસ્તારમાં આવેલા બિન અધિકૃત બાંધકામને નિયમિત કરવાની દિશામાં મહત્વનો નિર્ણય જાહેર કર્યેા છે. પરંતુ અહીં નોંધવું જરી છે કે હાઇકોર્ટ દ્રારા પાકિગના મામલે સરકારને છાશવારે આડે હાથ લેવામાં આવે છે ત્યારે આ નિર્ણયથી આવતા દિવસોમાં ગામ તળ વિસ્તારની બિલ્ડીંગોમાં આ સમસ્યા પુન જન્મ લેશે તે વાત નક્કી છે. રાજય સરકાર ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રી આ દિશામા નિર્ણય લીધો છે.ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.  બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાકિગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો. મીટર સુધીના ખુટતા પાકિગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ ખુટતા પાકગના ૫૦% જે તે પ્લોટમાં અથવા તો ૫૦૦ મીટરની હદમાં પાકગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના ૫૦ % ખુટતા પાકગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાકગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેકટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application