ઉધોગપતિ ગૌતમ અદાણી માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ફોર્મા કનેકટ એકેડેમીના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી ૨૦૨૮ સુધીમાં ટિ્રલિયોનેર બનનાર વિશ્ર્વના બીજા વ્યકિત હશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ૧૨૨.૮૬ ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરે ૮૪ બિલિયનની નેટવર્થ સાથે ટિ્રલિયોનેર થનાર પ્રથમ ભારતીય હશે.
'બિલિયોનેર ટુ ટિ્રલિયોનેર' યાદીમાં એલોન મસ્ક ૧૧૯૫ બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે. આ અહેવાલ મુજબ મુકેશ અંબાણીની ૨૦૩૩ સુધીમાં ટિ્રલિયોનેર બનવાની સંભાવના છે. અંબાણી ૨૮.૨૫ ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે નવ વર્ષમાં ટિ્રલિયોનેરની યાદીમાં સ્થાન મેળવશે. તાજેતરમાં હત્પન ઈન્ડિયાએ બહાર પાડેલી ભારતીય ધનકુબેરોની યાદીમાં પહેલીવાર ભારતના ૩૦૦થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. આ યાદીમાં ટોપ પર રહેલા ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડા હતા. ૧૧.૬ લાખ કરોડ પિયાથી વધુ સંપત્તિ સાથે તેઓ ભારતીય ધનકુબેરોની યાદીમાં સર્વેાચ્ચ સ્થાને છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે ૯૫ ટકા વધી હતી. અદાણી જૂથ બિઝનેસનો વ્યાપ વધારવાની દિશામાં સતત કાર્યરત છે. હાલમાં જ અદાણી ગ્લોબલે વિદેશોમાં બિઝનેસનો વ્યાપ વધારવા નવા ઉપક્રમો સ્થાપિત કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech