ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઉદય કાનગડના નામની જાહેરાત

  • April 01, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિત અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ઓબીસી સમાજના યુવા નેતા ઉદયભાઇ કાનગડની પસંદગી આખરે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે થઈ છે. સી. આર. પાટીલના અનુગામી તરીકે ઉદયભાઇ કાનગડના નામની જાહેરાત પ્રદેશ ભાજપ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે અને હવે તે આગામી તારીખ 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે વિધિવત રીતે નવી જવાબદારી સંભાળી લેશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના અતિ નજીકના અને વિશ્વાસુ સાથીદાર તરીકે જેના નામની ગણતરી થતી હતી તેવા ઉદયભાઇ કાનગડ નું નામ પાટીલની ટર્મ પૂરી પોતાની સાથે જ તેના અનુગામી તરીકે બોલાતું હતું. પરંતુ સંગઠન પર્વની ચૂંટણીના પ્રમુખ તરીકે ઉદયભાઇ કાનગડના નામની જાહેરાત થતા જ હવે આ નિર્ણયમાં શું થશે તેવી ચર્ચાઓ થઈ શરૂ થઈ હતી. સંગઠન માળખાના ચૂંટણીના ઇન્ચાર્જ પ્રમુખ પક્ષના પ્રદેશ પ્રમુખ નથી બની શકતા તેવી પરંપરા છે. પરંતુ ભાજપે આ વખતે તેની આ પરંપરા પણ તોડી છે અને ઓબીસી વોટ બેન્ક તથા ઉદયભાઇ કાનગડની પક્ષ પ્રત્યેની પ્રતિબંધતા તથા પાટીલનો વિશ્વાસ સંપાદન કરવાના કારણે બધી પરંપરાઓ તોડીને કાનગડની પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપે પસંદગી કરી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીમાંથી કોઈની પસંદગી થશે તેવી વાતો છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં અને ભાજપના આંતરિક રાજકારણમાં ચર્ચામાં હતી અને આખરે તે વાત સાચી ઠરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ની રેસમા શંકર ચૌધરી, વિજયભાઈ રૂપાણી સહિત અનેક નામો બોલાતા હતા પરંતુ હવે વિજયભાઈ રૂપાણી સહિતનાઓને સરકાર અન્ય મહત્વની જવાબદારી સોંપે તેવી વાતો પણ બહાર આવી રહી છે.ઉદય કાનગડને પક્ષના પ્રદેશ પ્રમુખ બનાવ્યાની વાત ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા સાચી લાગે છે પરંતુ હકીકતે તે વાત સાચી નથી. આ તો એપ્રિલ ફૂલ છે.


હવે મંત્રીમંડળની નવરચના: બાવળિયા વધુ બળુકા બનશે

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ આવશે તે મામલે લાંબા સમય સુધી કોઈ નિર્ણય ન લેવાયા પછી આખરે આ બાબત પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે અને હવે ભાજપના મોવડી મંડળની સમગ્ર નજર ગુજરાતના મંત્રીમંડળના વિતરણ અને નવરચના તરફ મંડાઈ છે.

કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવી રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ થોડા સમય પહેલા કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના નેતા હોય છે. જોકે સોમવારે રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાએ પત્રકાર પરિષદ કરીને પાણી સહિતના જુદા જુદા વિષય પર જાહેરાતો કરી હતી. નવા મંત્રીમંડળમાં બાવળિયા મુખ્યમંત્રી બનશે કે નહીં એ તો સમય આવી જ ખબર પડશે પરંતુ એટલું નક્કી છે કે ભાજપના આંતરિક રાજકારણમાં અને મંત્રીમંડળમાં હવે બાવળિયા વધુ બળુકા બને તેવી શક્યતા નકારાતી નથી. જોકે આ બધી વાતો પણ એપ્રિલ ફૂલ જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application