બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ગ્રેયુએટ ટ વિઝાને નાબૂદ કરવા પર વિચાર કરી રહ્યા છે. જો કે ઋષિ સુનકને આ માટે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સુનકની પાર્ટીના ઘણા નેતાઓએ પણ તેનો વિરોધ શ કરી દીધો છે. આ રિપોર્ટ બાદ સ્થળાંતર સલાહકાર સમિતિએ ચિંતા વ્યકત કરી છે કે આવા પગલાંના કારણે યુનિવર્સિટી બધં થઈ શકે છે અને લોકો નોકરી ગુમાવી શકે છે.
મેક રિપોર્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે ગ્રજયુએટ વિધાર્થીઓની નોંધણીમાં ૬૩% ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો એયુકેશન વિઝા પર તાજેતરના સરકારી પ્રતિબંધોને પગલે થયો છે. સમિતિ ચેતવણી આપે છે નિયમો વિદેશી વિધાર્થીઓને સ્નાતક થયા પછી ત્યાં બે વર્ષ સુધી બ્રિટનમાં કામ કરવાની મંજૂરી આપે છે, પણ જો હવે વધુ મર્યાદાઓ મૂકવામાં આવશે, તો લોકો નોકરી ગુમાવશે અને અભ્યાસક્રમ બધં થઈ શકે છે. તેઓ એવું પણ સૂચવે છે કે કેટલીક યુનિવર્સિટીઓ બધં થઈ શકે છે.
બ્રિટન વિશ્વની કેટલીક જાણીતી યુનિવર્સિટીઓનું ઘર છે, જેમ કે ઓકસફોર્ડ, કેમ્બિ્રજ અને ઈમ્પીરીયલ કોલેજ લંડન. નેતાઓ દલીલ કરે છે કે આ સંસ્થાઓ નવીનતા, સર્જનાત્મકતા અને શકિત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણા વૈશ્વિક નેતાઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યેા છે. ગ્રેયુએટ વિઝા ટનો દુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વચ્ચે સરકારે સમીક્ષા શ કરી હતી, કેટલાક રાજકારણીઓએ દાવો કર્યેા હતો કે વિધાર્થીઓ આશ્રય મેળવવા અથવા તેમના વિઝાને વધુ સમય સુધી રહેવા માટે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે, મેકને વ્યાપક દુપયોગના કોઈ પુરાવા મળ્યા નથી.
વડા પ્રધાન ઋષિ સુનકની સરકારે સ્થળાંતરને નિયંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓ, ખાસ કરીને ગ્રેયુએશન પ્રોગ્રામમાં વિધાર્થીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યેા છે. આ નીતિ કાનૂની સ્થળાંતરનું સંચાલન કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે, જે ૨૦૧૬ માં બ્રેકિઝટ લોકમત પછીનો એક મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો છે. સુનકની કેબિનેટમાં મંત્રી એસ્થર મેકવેએ તાજેતરમાં કેટલીક યુનિવર્સિટીઓ પર શિક્ષણને બદલે આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને ઇમિગ્રેશન વેચવાનો આરોપ પણ મૂકયો હતો.
જોકે, બ્રિટિશ બિઝનેસ લોબી ગ્રૂપના સીબીઆઈએ જણાવ્યું હતું કે બ્રિટિશ યુનિવર્સિટીઓ દેશની સૌથી મોટી એકસપોર્ટ સકસેસમાંની એક છે, અને સ્થળાંતર સલાહકાર સમિતિએ જણાવ્યું હતું કે સિસ્ટમનો દુપયોગ કરવામાં આવ્યો નથી, તેથી ભવિષ્યને શંકાને સાઇડમાં મૂકી નુકસાનના આ સમયગાળાને સમા કરવાનો સમય આવી ગયો છે. ગ્રેયુએટ ટ વિઝા આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને ઓકસફોર્ડ, કેમ્બિ્રજ, સસેકસ અને એસઆએએસ જેવી ટોચની સંસ્થાઓ સહિત બ્રિટિશ યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયા પછી બે વર્ષ સુધી યુકેમાં કામ કરવાની મંજૂરી આપે છે. આ વિઝા વર્ક એકસપિરીયન્સ અને કાયમી વર્ક વિઝા માટે સંભવિત માર્ગેા મોકળા કરે છે. ૨૦૨૩માં ૧૧૪,૦૦૦ ગ્રેયુએટ ટ વિઝા જારી કરાયા હતા, જેમાં ટોચના દેશોમાં ભારત (૪૨%), નાઇજીરીયા, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech