જામનગર શહેર-જિલ્લામાં બે યુવાનોને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો: બંનેના મૃત્યુ

  • September 02, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાનની તબિયત લથડતાં હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ નીપજયું:  કાલાવડના પટેલ વેપારીને હાર્ટ એટેક આવી જતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ


જામનગર શહેર અને કાલાવડમાં હૃદય રોગથી વધુ બે યુવા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને હૃદય રોગનું હુમલો આવી ગયો છે. જયારે કાલાવડના એક વેપારીનું પણ હાર્ટ એટેક થી મૃત્યુ નિપજ્યું છે.


જામનગરમાં સંકર ટેકરી વલ્લભનગરમાં રહેતા નાથાભાઈ દામજીભાઈ ઝાલા નામના ૪૭ વર્ષના વાલ્મિકી જ્ઞાતિના યુવાનને પોતાના ઘેર બીમાર પડ્યા પછી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.

બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડમાં બન્યો હતો. કાલાવડના શિવમ નગરમાં રહેતા પારસ ભાઈ ઉર્ફે શક્તિ વલ્લભભાઈ રાખોલીયા નામના ૪૧ વર્ષના પટેલ વેપારી યુવાનને ગઈકાલે પોતાના ઘેર હાર્ટ એટેક આવી જતાં સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application