રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી ત્યારે હૃદય રોગના હત્પમલાએ વધુ બેના જીવ લીધા હોવાની ઘટના સામે આવી છે. શહેરના હરીધવા મેઇન રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના વૃદ્ધા ઘરે બાથમમાં નાહવા ગયા હતા દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વૃદ્ધાનું મોત દય રોગના હત્પમલાથી થયું હોવાનું જાણવા મળ્યું છે.જયારે સતં કબીર રોડ પર સદગુ સોસાયટીમાં રહેતા આાધેડ ઘરે કોઇ કારણસર બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું.આધેડને હૃદય રોગનો હત્પમલો આવવાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, હરિધવા મેઇન રોડ પર શ્રીજી સોસાયટી બ્લોક નંબર ૭૨ માં રહેતા રમાબેન શામજીભાઈ પટોડીયા(ઉ.વ ૬૧) નામના વૃદ્ધા સવારના સમયે બાથમમાં નાહવા માટે ગયા હતા દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપાડતા પ્રથમ દોશી હોસ્પિટલમાં બાદમાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડા હતા.અહીં સારવાર દરમિયાન રાત્રિના તેમનું મોત થયું હતું. જે અંગે હોસ્પિટલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.જી. રોહડીયાએ જરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રમાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ હાલ કામ સબ હૈદરાબાદ ગયા હોવાનું માલુમ પડું છે.હૃદય રોગના હત્પમલાથી તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બનાવવાને લઈ પટેલ પરિવારમાં ગમતીની છવાઈ ગઇ હતી.
જયારે અન્ય એક બનાવમાં સતં કબીર રોડ પર સદગુ સોસાયટીમાં રહેતા હેમંતભાઇ જેરામભાઇ કાપડીયા(ઉ.વ ૪૮) નામના આધેડ ઘરે હતા ત્યારે તેમની ઓચિંતી તેમની તબીયત બગડતા તેઓ બેભાન થઇ ગયા હતાં.બાદમાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું.બનાવને લઇ થોરાળા પોલીસે જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.આધેડનું હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાટી ખાટી આમલી સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, આ રીતે કરવો ઉપયોગ
May 17, 2024 11:44 PMઆ 3 યોગના આસનો હૃદયને રાખે છે સ્વસ્થ, જાણો તેના અન્ય ફાયદા
May 17, 2024 11:41 PMવરસાદ અને વીજળી વચ્ચે ભૂલથી પણ ન કરો મોબાઈલ ફોનનો ઉપયોગ
May 17, 2024 11:36 PMઉનાળામાં વજન ઘટાડવા ખાઓ આ ખાટુંમીઠું ફળ, પાચનક્રિયામાં થશે સુધરશે
May 17, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech