ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે ના મોત

  • July 31, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના યુવાન અને પાલઘરના વૃઘ્ધના ભોગ લેવાતા શોકની લાગણી

છેલ્લા થોડા મહીનાથી નાની વયે હાર્ટએટેકથી મૃત્યુના બનાવ વધી ગયા છે, ઓખા પંથકમાં બે વ્યકિતના હૃદયરોગના હુમલાથી ભોગ લેવાયા છે જેમા એક યુવાન અને વૃઘ્ધનો સમાવેશ થાય છે.
ઓખામાં આવેલા આર.કે. બંદર વિસ્તારમાં રહેલી ગજરાજ નામની બોટમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની એવા મનુભાઈ જેસીંગભાઈ ભાલીયા નામના ૩૬ વર્ષના માછીમાર યુવાનને ગઈકાલે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત આ જ સ્થળે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતે રહેતા લક્ષ્મણભાઈ શંકરભાઈ આદિવાસી નામના ૫૫ વર્ષના માછીમાર આધેડને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application