રાજકોટ મહાનગરપાલિકા તથા સરસ્વતી સ્કુલિંગ સિસ્ટમના સંયુકત ઉપક્રમે તા.૨૫ થી તા.૨૬ સુધી સવારે ૯થી સાંજના ૭ કલાક સુધી બાળકોના સવાગી વિકાસની સાથે તેમની સુષુ આવડતો અને સર્જનાત્મકતાને વિકસાવવા લિટરેચર ફિએસ્ટા કાર્યક્રમનું રેસકોર્ષ ખાતે ભવ્ય આયોજન કરાયું છે.આ કાર્યક્રમનો શુભારભં તા.૨૫ને શનિવારના રોજ સવારે ૯ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
લિટરેચર ફિએસ્ટા કાર્યક્રમનો મુખ્ય ઉદેશ સાહિત્યની પ્રવૃત્તિઓને વેગ મળે, બાળકો સાહિત્યમાં રસ લેતા કરી શકાય, પ્રત્યક્ષ અનુભવ દ્રારા શીખે, સમૂહજીવન અને સહકાર–ભાઈચારાના પાઠ શીખે, જાહેર જીવનમાં લોકો સાથે સંપર્ક સાધતા શીખે, તેનો આત્મવિશ્વાસ વધે, હત્પં પણ કંઇક કરી શકું છું– એવી ક્ષમતા અને ભાવના કેળવવાનો છે. આ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્રારા કરવામાં આવનાર છે તેમજ કાર્યક્રમની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવનાર છે. આ લિટરેચર ફિએસ્ટા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગપે શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખીને કાર્યક્રમની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, બેકડ્રોપ, સુશોભન, બેઠક વ્યવસ્થા, પાકિગ, સુરક્ષા, સફાઇ, બેરીકેટીંગ વગેરે બાબતો અંગે રીવ્યું કરવામાં આવ્યું અને તે અંગે અધિકારીઓને તથા આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓને જરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરોકત સ્થળ મુલાકાતમાં શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સિટી એન્જીનીયર બી.ડી.જીવાણી, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, મેનેજર કૌશિક ઉનાવા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભ જીંજાળા, રોશની શાખાના વર્ક આસી. હિતેશ વિડજા તથા અન્ય કર્મચારીઓ અને આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech