ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા બન્નેએ ટૂંકી સારવાર બાદ દમ તોડી તોડી દીધો હતો. પિતાના મૃત્યુ બાદ બન્ને ભાઈઓ હિરાનું કામ કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હોવાનું તેમજ નવા ખરીદેલા ઘરના હપ્તા ને ભરાતા કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે અમરોલી અને વલ્લભીપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટના અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મુળ વલ્લભીપુરના અને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના અમરોલી વિસ્તારમાં સ્થાઈ થઈ હિરા ઉદ્યોગમાં કામ કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હિરેનભાઈ ચંદુભાઈ સુતરીયા અને પરીક્ષિતભાઈ ચંદુભાઈ સુતરીયા એ પોતાના ઘરે રૂમમાં જઈ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા બન્નેને અતિ ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવારમાં બન્ને ભાઈઓએ દમ તોડી દેતા પરિવારમાં રોકકળ મચી હતી.
ઘટનાની જાણ થતા અમરોલી પોલીસે દોડી જઈ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી. જેમાં પિતા ચંદુભાઈ સુતરીયાનું મૃત્યુ થયા બાદ હિરેનભાઈ અને પરીક્ષિતભાઈ હિરાનો વ્યવસાય કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હતા. અને અમરોલી વિસ્તારમાં ખરીદેલા નવા ઘરના હપ્તા ને ભરાતા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી આવક અનિયમિત થવાથી આર્થિક સ્થિતિ કથળી હોય બન્ને રોજીરોટીને લઈ વ્ય ગ્રતા અનુભવતા હતા. અને કોઈ યોગ્ય માર્ગ ને મળતા બન્નેએ પોતાના ઘરના રૂમમાં જઈ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું ખુલ્યું હતું.મૃતક બન્ને પૈકી હિરેનભાઈના લગ્ન હજુ ૮માસ પૂર્વે જ થયા હોવાનું પણ સામે આવ્યુ હતું.
આર્થિક સંકળામણમાંમાં પરિવારનો જીવન નિર્વાહ કરવા તેમજ ઘરના હપ્તા ને ભરી કંટાળી જઈ અંતિમ માર્ગ અપનાવી લેનાર બન્ને ભાઈઓ ના મૃત્યુથી સુતરીયા પરિવારમાં ભારે રોકકળ મચી હતી. તો બનાવના પગલે અમરોલી તેમજ વલ્લભીપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech