મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એકસપ્રેસ કે જે જબલપુર પહોચવામાં જ હતી ત્યારે ૨ ડબ્બા અચાનક ખડી પડા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર પહોચે તે પહેલા લગભગ ૨૦૦ મીટર દુર જ ૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. વહેલી સવારે બનેલી આ ઘટનાથી ઘડીભર તો મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો પરંતુ કોઈ જાનહાની ન થતા રેલ્વે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને બનાવનું કારણ શોધવા તજવીજ શ કરી હતી.
મધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત બનતા અટકી ગયો હતો. સોમનાથ એકસપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાની માત્ર ૨૦૦ મીટર પહેલા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત સવારે ૫.૫૦ વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી આપતા પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું કે ટ્રેન ૨૨૯૧ ઈન્દોરથી જબલપુર આવી રહી હતી. ટ્રેન જબલપુર પ્લેટફોર્મ નંબર–૬ તરફ જઈ રહી હતી. ટ્રેન ઉભી જ હતી કે અચાનક તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા. ટ્રેન રોકતા પહેલા ખૂબ જ ધીમી ગતિએ હતી જેના કારણે મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech