પાકિસ્તાનની કાર્યવાહી બાદ બે ભારતીય માછીમારો ગુમ, મેરીટાઇમ એજન્સીના એક સભ્યનું મોત

  • March 21, 2024 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાની મેરીટાઇમ ઓથોરિટી દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ બે ભારતીય માછીમારો ગુમ થયા છે. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની મેરીટાઈમ એજન્સીના એક સભ્યનું પણ મોત થયું હતું. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં પાંચ માછીમારોને બચાવી લેવાયા હતા પરંતુ બે માછીમારોનો પત્તો લાગ્યો ન હતો. તેની શોધખોળ ચાલુ છે.


એજન્સીનો દાવો છે કે જ્યારે પીછો કરવામાં આવ્યો ત્યારે એક બોટ તેજ ગતિએ ભાગવા લાગી. તેના પર સવાર લોકોને રોકવાની ચેતવણી આપવામાં આવી હતી. આખરે તેને રોકી લેવામાં આવી હતી અને PMSA સભ્યો તેમાં સવાર થઈ ગયા. તેણે આરોપ લગાવ્યો કે અચાનક બોટની સ્પીડ ફરી વધી ગઈ અને તે પીએમએસએ જહાજ સાથે અથડાઈ હતી. જેના કારણે માછીમારોની બોટ તૂટીને ડૂબી ગઈ હતી.


મેરીટાઇમ એજન્સી દ્વારા ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પાંચ માછીમારોને બચાવી લેવાયા હતા, પરંતુ બે માછીમારોનો પત્તો લાગ્યો ન હતો. તેની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન શ્રીલંકન નેવીએ બુધવારે 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે પાંચ બોટ પણ કબજે કરવામાં આવી છે. શ્રીલંકાની નૌકાદળે આ વર્ષે અત્યાર સુધીમાં 23 બોટ અને 178 ભારતીય માછીમારોને પકડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application