બોખીરા ખાતે થયું પચ્ચીસ વૃક્ષોનું થયું વાવેતર

  • September 27, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા બોખીરા ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે.
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા બોખીરા ખાતે ‘એક પેડ માં કે નામ ય અંતર્ગત ૨૫ વૃક્ષોનું રોપણ કરાયુ હતુ.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા છે.
વડાપ્રધાને વિશ્ર્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શ‚ કરાવીને ભારતના અને વિશ્ર્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી‚પે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે. 
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી છે. 
મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી રહ્યા છે, ત્યારે પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બોખીરા રોડ ઉપર એક પેડ માં કે નામ અંતર્ગત ૨૫ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application