ટ્રમ્પ વહીવટીતંત્રે ‘ગાઝામાં કોન્ડોમ’ માટે 50 મિલિયન ડોલરનું ભંડોળ સ્થગિત કર્યું

  • January 29, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે યુએસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે તેમની પ્રથમ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (ઓએમબી) એ શોધી કાઢ્યું હતું કે ’ગાઝામાં કોન્ડોમ’ માટે લગભગ 50 મિલિયન ડોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લેવિટે ભંડોળને અયોગ્ય ગણાવતા કહ્યું કે સરકાર અમેરિકન ડોલરના સારા કારભારી બનવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણીએ કહ્યું કે ડોજ અને ઓએમબીએ એ પણ શોધી કાઢ્યું હતું કે ગાઝામાં કોન્ડોમ માટે ભંડોળ પૂરું પાડવા માટે લગભગ 50 મિલિયન ડોલરથી વધારે કરદાતાઓ એ કર ચૂકવ્યો હતો. તે કરદાતાના નાણાંનો વાહિયાત બગાડ છે. તેથી આ વિરામ કર ડોલરના સારા કારભારી બનવા પર કેન્દ્રિત છે.
ડોજ નેતા ઈલોન મસ્કે મોટી રકમના નાણાં પર શંકા વ્યક્ત કરી. એક્સ પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું, કે મારો અંદાજ છે કે તે પૈસાનો મોટો ભાગ હમાસના ખિસ્સામાં ગયો, ખરેખર કોન્ડોમ પર નહીં. તેમણે ઉમેર્યું કે જો પૈસા ખરેખર કોન્ડોમ પર ખર્ચવામાં આવ્યા હોય તેવી શક્યતા ન હોય તો પણ આપણે વિદેશીઓ માટે કોન્ડોમ ખરીદવા માટે યુએસ કરદાતાઓના પૈસા મોકલવા જોઈએ નહીં.
આ જ સંદર્ભમાં મસ્કે તેના એક્સ હેન્ડલ પર એક મીમ શેર કર્યો. ટ્રમ્પ દ્વારા હુથિઓને ફરીથી વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાના સંદર્ભમાં, લેવિટે એક પત્રકારના પ્રશ્નને ખરાબ વિચાર નથી ગણાવ્યો. પત્રકારે પૂછ્યું કે શું બાઈડેન વહીવટીતંત્રે હુથિઓ પાસેથી આતંકવાદી સંગઠનનો દરજ્જો કેમ દૂર કર્યો તેની તપાસ ચાલી રહી છે.
લીવિટ પ્રભાવિત થયા અને કહ્યું કે સારું, આ ખૂબ જ સારો મુદ્દો છે. મેં આવી તપાસ વિશે ચચર્ઓિ સાંભળી નથી પરંતુ તે ખરાબ વિચાર નહીં હોય કારણ કે હુથીઓ ચોક્કસપણે આતંકવાદી છે. તેઓએ વિશ્વભરમાં યુએસ નૌકાદળના જહાજો પર હુમલા કયર્િ છે અને તેથી મને લાગે છે કે આ વહીવટીતંત્ર દ્વારા તેમને આતંકવાદી જૂથ તરીકે ફરીથી નામ આપવું એ ખૂબ જ સમજદારીભર્યું પગલું હતું કારણ કે તેઓ છે. મને લાગે છે કે અગાઉના વહીવટીતંત્ર દ્વારા આવું કરવું એ મૂર્ખ નિર્ણય હતો, તપાસ માટે મને ખાતરી નથી પણ તે ખરાબ વિચાર નથી.
વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 22 જાન્યુઆરીએ અંસાર અલ્લાહ (જેને હુથી તરીકે પણ ઓળખવામાં આવે છે)ને વિદેશી આતંકવાદી સંગઠન (એફટીઓ) તરીકે ફરીથી નામ આપવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કયર્િ હતા. એક્ઝિક્યુટિવ ઓર્ડર એક પ્રક્રિયા શરૂ કરે છે જેના દ્વારા હુથીઓને એફટીઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે. નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાન્યુઆરી 2021 માં ઈરાની સમર્થિત હુથીઓને એફટીઓ તરીકે નિયુક્ત કયર્િ હતા. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, સત્તા સંભાળ્યાના એક મહિનાની અંદર બાઈડેન વહીવટીતંત્રે હુથીઓના નામને બદલાવી નાખ્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application