પોરબંદરના બીરલાહોલ ખાતે લગ્ન સહિત સામાજિક પ્રસંગો વખતે વાહનોનો ખડકલો રોડ ઉપર અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં કરી દેવામાં આવે છે જેના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે તેથી આ અંગે જિલ્લા પોલીસવડા સહિત કલેકટરને પણ ફરિયાદ થઇ છે. પોરબંદરના બીરલાહોલને લગ્ન સહિત સામાજિક પ્રસંગોએ ભાડે આપવામાં આવે છે જેમાં અનેક પ્રસંગો હોલના બદલે પટાંગણમાં ઉજવવામાં આવે છે તેથી ત્યાં પટાંગણમાં વાહનો પાર્ક થઇ શકતા નથી અને ફરજિયાતપણે લોકોને વાહન બહાર પાર્ક કરવા પડે છે. બીરલાહોલ પાસે બેન્ક કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરે જવામાં પણ તકલીફ વેઠવી પડે છે. એટલું જ નહી પરંતુ બહાર મુખ્ય રસ્તા ઉપર અને છાયાચોકી તરફના રસ્તે પણ વાહનોનો રોડ ઉપર જ ખડકલો કરી દેવામાં આવે છે. જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ પણ જિલ્લા પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ અને હવે વધુ એક વખત ભગીરથસિંહ જાડેજા ઉપરાંત કલેકટર એસ.ડી. ધાનાણી અને મ્યુનિસિપિલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિને રજૂઆત કરીને આ પ્રશ્ર્નનો કાયમી નિવેડો આવે તેવી માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech